International

નાઈજીરિયામાં લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે બોટ પલટી, 103ના મોત

Published

on

નાઈજીરિયામાં બોટ પલટી જવાથી 103 લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તરી નાઈજીરિયામાં ત્યારે બની જ્યારે બોટમાં સવાર લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. બોટમાં લગભગ 300 લોકો સવાર હતા.

મોટી સંખ્યામાં લોકો ગુમ

Advertisement

દુર્ઘટના વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ઉત્તરી નાઈજીરિયાના કવારા રાજ્યના પતેગી જિલ્લામાં બની હતી. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ગુમ થઈ ગયા છે. ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. સ્થાનિક લોકો અને પોલીસ ગુમ થયેલા લોકોને શોધી રહી છે.

100 લોકોને બચાવી લેવાયા હતા

Advertisement

તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક વડા અબ્દુલ ગના લુકપાડાએ જણાવ્યું હતું કે, “બોટ ખીચોખીચ ભરેલી હતી.” તેમાં લગભગ 300 લોકો હતા. બોટ પાણીની અંદરના મોટા લોગ સાથે અથડાઈ હતી અને તેને નુકસાન થયું હતું.ક્વારાના ગવર્નર અબ્દુલરહમાન અબ્દુલરાઝકની ઓફિસે શોક વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું હતું. (ઇનપુટ ભાષા)

Advertisement

Trending

Exit mobile version