Connect with us

Gujarat

થર્મલ પાવર સ્ટેશન ખાતે આઠમા નોરતે મહાઆરતીનું આયોજન

Published

on

(પ્રતિનિધિ રિઝવાન દરિયાઈ)

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ના કર્મચારી રીક્રેસન ક્લબ  દ્વારા ગત રાત્રિના રોજ 11000 દિવડાની મહા આરતી ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર સંસ્થાના વડા ચીફ એન્જિનિયર  રીક્રેસન ક્લબના પ્રમુખ વી એન રાવલ તથા આસપાસના ગામોમાંથી આ મહા આરતીના દર્શનનો લાભ લેવાનો હજારો લોકો ઉમટી પડ્યા હતા મહા આરતી આકાશી નજારો પણ ભવ્ય અને સુંદર જોવા મળ્યો હતો સાથે ગરબા રમતા તમામ લોકોએ હાથમાં દીવડા લઈ મા આદ્યશક્તિ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી

Advertisement

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન દ્વારા સાર્વજનિક નવરાત્રીના ભાગરૂપે ભવ્યાથી ભવ્ય સુંદર આયોજન કરવામાં આવે છે અને આઠમની રાત્રે ભવ્યાજી ભવ્ય મહા આરતી નું આયોજન કરવામાં આવે છે જેનો લાભ હજારો લોકો લઈ ધન્યતા અનુભવે છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!