Connect with us

Gujarat

સરદાર સરોવર ડેમમાંથી ૯૫ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે

Published

on

ડેમની સપાટી ૧૩૮.૩૨ મીટર નોંધાઈ

ઉપરવાસમાં વરસાદને કારણે સરદાર સરોવરની ડેમની સપાટી વધતાં  નર્મદા નદીમાં મંગળવારે  સવારે ૯૫,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું  છે.આજે સાંજના ચાર કલાકે ડેમની સપાટી ૧૩૮.૩૨ મીટર નોંધાઈ હતી.

Advertisement

તકેદારી અને સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લાના  ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના ૨૫ ગામોના નાગરિકોને સતર્ક  કરવામાં આવ્યા છે.

નદી કિનારાના ગામોમાં સાવચેતીના પગલાં લેવા પ્રાંત અધિકારી, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત તલાટીઓને જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!