Connect with us

Gujarat

ઘોઘંબા તાલુકા પ્રાથમિક શાળામાંથી બદલી થયેલ ત્રણ શિક્ષકોની ભાવભીની વિદાય

Published

on

ઘોઘંબા તાલુકા પ્રાથમિક શાળામાંથી   બદલી થયેલ શિક્ષકો ઘણા વર્ષોથી ફરજ બજાવતા હતા. આ શિક્ષકોએ પોતાની અનુકૂળતા મુજબ સ્વેચ્છાએ બદલી કરી આસપાસની શાળાઓમાં જઈ રહ્યા છે. જેમાં ઘોઘંબા તાલુકા પ્રાથમિક શાળામાં અસ્મિતાબેન પટેલ, કાંતાબેન ડામોર અને ભીમસિંહભાઈ રાઠવાની બદલી થતાં ગામના આગેવાનો અને શિક્ષક મિત્રો તથા બાળકોની હાજરીમાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ શાળામાં શિક્ષકો વર્ષોથી કામ કરી રહ્યા હતા ત્યારે બાળકો અને વાલીઓ આંખોમાં ચોધાર આંસુઓથી લાગણીઓ દર્શાવી રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઘોઘંબા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, એસએમસી અધ્યક્ષ , એસએમસી સભ્યો, શિક્ષક મિત્રો અને બાળકો હાજર રહ્યા હતા.

Advertisement

ખૂબ લાંબા સમયગાળાથી આ શાળામાં ફરજ બજાવી રહેલા શિક્ષકોની જુદી જુદી અવિસ્મરણીય ઘટનાઓનું વર્ણન કરવામાં આવેલું. જૂની યાદોને તાજી કરતાં દરેકની આંખોમાં આંસું છલકાયા હતા.

શાળાના આચાર્ય પિયુષભાઈ પટેલ તથા સ્ટાફના શિક્ષકો દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બદલી થયેલ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ તથા પધારેલા મહેમાનોને તિથિ ભોજન મહાપ્રસાદનું આયોજન કર્યું હતું.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!