Chhota Udepur

બોડેલી વકીલ મંડળના સભ્ય મૃત્યુ પામતા બોડેલીના વકીલ મંડળ દ્વારા એકાવન હજારની સહાય

Published

on

(પ્રતિનિધિ કાજર બારીયા)

બોડેલી કોર્ટ માં પ્રેક્ટિસ કરતાં અભેસિંહભાઈ બીજલભાઈ (વકીલ) જેઓ “બાર કાઉન્સિલ ઓફ ગુજરાત” દ્વારા વર્ષ ૨૦૧૧માં G/૧૮૬૭/૨૦૧૧ થી વકીલાત કરવા માટેનું લાયસન્સ મેળવી, વર્ષ ૨૦૨૩-૨૪માં “ભારત સરકારના નોટરી” તરીકેની પદવી મળી હતી. બહોળા અનુભવ ધરાવતા સિનિયર વકીલ દરેક ને પોતાના પરિવારનો સભ્ય સમજી સહકાર આપતા હતા તેમના આકસ્મિક મૃત્યુથી વકીલ આલમમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી આજ રોજ બોડેલી બાર  એસોસિયેશન દ્રારા બોડેલી બાર એશોશિએશન્ ના સ્વ.વકીલ અભેયસિંહ ભાઈ બીજલભાઇ રાઠવા પરિવાર્ ને બોડેલી બાર એશોસિયશેનના તમામ વકીલ મિત્રોના સહયોગ થી રૂપિયા ૫૧૦૦૦ સ્વર્ગસ્થ વકીલ પરિવારને આપવામાં આવ્યા હતા “બાર કાઉન્સિલ ઓફ ગુજરાત “ તરફ થી મળતી સહાય માટે તમામ કાગળો ની પુર્તતા કરવામા આવી છે બોડેલી વકીલ મંડળ ના પ્રમુખ લલિતચન્દ્ર રોહિતે તમામ વકીલનો આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement

 

 

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version