Connect with us

Dahod

ઝાલોદ પોલીસ સ્ટેશનમાં બકરીઇદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Published

on

a-peace-committee-meeting-was-held-on-the-occasion-of-bakriid-at-jalod-police-station

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં આજરોજ 27-06-2023 મંગળવારના રોજ આગામી તારીખ 29-06-2023 નાં રોજ આવનાર બકરીઈદ નિમિત્તે સવારે 12 કલાકે પી.એસ.આઇ રાઠવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી. પી.એસ.આઇ રાઠવા દ્વારા આગામી તહેવારમાં કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન બને, ખોટી ગેર સમજને લઈ કોઈ ગેરમાર્ગે ન જાય, કોઈ પણ ખોટી ભડકાઉ અફવાઓને ધ્યાન ન આપે તેમજ કોઈ પણ નાનામાં નાની શંકા કે કોઈ પણ અણબનાવને લઈ તાત્કાલિક પોલિસ સ્ટેશનનો સંપર્ક કરે

Advertisement

a-peace-committee-meeting-was-held-on-the-occasion-of-bakriid-at-jalod-police-station

તેમજ કોઈ પણ જાતનો વેસ્ટ કચરો જેને લઈ કોઈ વિવાદ થાય તેવો કચરો જાહેર રસ્તા કે કોઈ પણ જગ્યાએ ફેંકવો નહીં અને બકરીઇદ દરમિયાન કોઈ પણ ગૌવંશ કતલના ઇરાદે કોઈ લાવે નહીં તેમજ કોઈ પણ જગ્યાએ ગૌવંશનુ કતલ થશે તો કાયદેસરના પગલાં લેવાશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. મુસ્લિમ બિરાદારો દ્વારા પણ આવી કોઈ પણ ઘટના નહીં બને તેવું જણાવ્યું હતું. છેલ્લે પી.એસ.આઇ રાઠવા દ્વારા સહુને આગામી બકરીઈદના તહેવારની શુભકામનાઓ આપી હતી.

Advertisement
error: Content is protected !!