Offbeat

એવી જગ્યા જ્યાં વર્ષમાં 5 મહિના નથી પહોંચતો સૂર્યનો પ્રકાશ, ત્યાં મળશે સૌરઉર્જા થી પ્રકાશ અને ઉર્જા.

Published

on

નોર્વે અને ઉત્તર ધ્રુવની વચ્ચે સ્થિત આર્ક્ટિક મહાસાગરમાં સ્વાલબાર્ડ ટાપુઓ એવી જગ્યા છે જ્યાં વર્ષના પાંચ મહિના સુધી સૂર્યપ્રકાશ આવતો નથી. ઑક્ટોબરના મધ્યથી ફેબ્રુઆરીના મધ્ય સુધી સૂર્યપ્રકાશનો કોઈ નિશાન નથી. જો કે, મધ્ય બે મહિનામાં સૂર્યપ્રકાશ ક્ષિતિજની નીચે રહે છે, માત્ર ઊંચા પર્વતીય શિખરો સુધી પહોંચે છે. હવે સરકારે આવા ઊંચા સ્થાનો પર 360 સોલાર પેનલ્સની શ્રેણી સ્થાપિત કરી છે, જે અહીં પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલા બેઝ કેમ્પ અને રેડિયો સ્ટેશનની ઊર્જાની 50 ટકા જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરશે. નોસેર્કેના ટેકનિકલ સલાહકાર મોન્સ ઓલે સેલેવોલ્ડ કહે છે કે આર્કટિકમાં આટલા મોટા પાયા પર સૌર પેનલો સ્થાપિત કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. આલ્બેડો અસર (બરફમાંથી પ્રતિબિંબિત પ્રકાશ) પણ ફોટોવોલ્ટેઇક પેનલને ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. ફોટોવોલ્ટેઇક પેનલનો ઉપયોગ સીધા સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે.

બરફ પ્રદૂષણથી બચાવી શકશે
સ્વાલબાર્ડમાં પ્રવાસીઓની ઘણી અવરજવર રહે છે, તેથી બેઝ કેમ્પની સાથે અન્ય ઉર્જાની જરૂરિયાતો માટે ડીઝલથી ચાલતા જનરેટર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે ફેલાતા પ્રદૂષણથી અહીંના પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. જો અહીં સોલાર પેનલનો ઉપયોગ સફળ થશે, તો તેનો ઉપયોગ આર્કટિકના અન્ય સમુદાયો માટે પણ થશે.

Advertisement

તેથી જ સૌર ઉર્જા મહત્વપૂર્ણ છે
નાસાના સેટેલાઇટ અભ્યાસોએ દર્શાવ્યું છે કે ઉનાળામાં વધતા તાપમાનને કારણે આર્કટિક બરફ દર દાયકામાં 12.2 ટકાના દરે સંકોચાઈ રહ્યો છે. જે દરિયાની સપાટી અને જીવસૃષ્ટિ માટે જોખમી છે. સોલાર પેનલથી કોલસા અને જનરેટરથી થતા પ્રદૂષણને ઘટાડી શકાય છે.

Advertisement

Trending

Exit mobile version