Connect with us

Panchmahal

રીંછિયા ખાતે આદિવાસી દ્વારા પરંપરા ગત ચૂલ નો મેળો ભરાયો

Published

on

A traditional hearth fair was held by the tribals at Bearia

ઘોઘંબાતાલુકાનાં રીછિયા સ્થીત ગુપ્તેશ્વર મહાદેવ નજીક આવેલ ભાથીજીના મંદિર પાસેના ખુલ્લા મેદાનમાં આજે ફાગણ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે આદિવાસીઓ દ્વારા ચૂલના મેળાનું આયોજન પ્રતિ વર્ષે કરવામાં આવે છે તે પરંપરા ને અનુસરીને આજરોજ જચૂલના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં આદિવાસીઓ દ્વારા ઢોલ નગારા ત્રાસા અને પીહા સાથે મધુર કર્ણપ્રિય અવાજો અને કિકિયારી સાથે આનંદ સાથે નાચતા કુદતા આ તહેવારને મનાવતા હોય છે.

A traditional hearth fair was held by the tribals at Bearia

આખા વર્ષ દરમિયાન પોતાના પરિવારના ખેતીના કે ધંધાના વિકટ પ્રશ્નો ના નિકાલ માટે બાધા કે અખડીઓ રાખે છે પરિણામે તેઓના પ્રશ્નોનો નિકાલ થાય તો ચૂલના મેળામાં ધખ ધખતા અંગારા પર ચાલીને પોતાની બાધા આંખડી પૂર્ણ કરે છે તેઓના પ્રશ્નોમાં પોતાના ઘરે શેર માટીની ખોટ હોય, સંતાન અવારનવાર બીમાર પડતું હોય, મા-બાપ બીમાર પડતા હોય, ખેતી બરાબર ના થતી હોય, પશુ પક્ષીઓ બીમાર થતા હોય, આ બધા માટે તેઓ બાધા આખડી રાખતા હોય છે અને પોતાના પ્રશ્નોનો નિકાલ થતાં હોળીના દિવસે ચૂલના મેલા પર ચાલીને પોતાની બાધા પૂરી કરે છે

Advertisement
error: Content is protected !!