Connect with us

Gujarat

ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર વિરુદ્ધ ટિપ્પણી કરનાર સામે ગળતેશ્વર મુસ્લિમોમાં રોષ મામલતદારને આવેદનપત્ર આપ્યુ

Published

on

ગળતેશ્વર તાલુકાનાં મુસ્લિમો દ્વારા મામલતદારને આવેદનપત્ર અને  પી.એસ.આઈને લેખિત ફરિયાદ આપી ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હજરત મોહમ્મદ મુસ્તુફા. સલ્લલાહુ અલયહી વસલ્લમની શાનમાં અપમાનજનક ભાષાનો દુરુપયોગ કરી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે અને બે સમાજ વચ્ચે વેર ઝેર નો માહોલ ઉભો કરી કોમી રમખાણ ફાટી નીકળે તેવી ટિપ્પણી કરી દેશ અને રાજ્યમાં ભાઈચારાની ભાવનાથી રહેતા હિંદુ મુસ્લિમ સમાજમાં ભાગલા પાડવાના બદ ઈરાદે અને દેશની સંવાદીતાને નષ્ટ કરવાનો પ્રયત્ન કરનાર આરોપી રામગીરી મહારાજ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ 196/1. એ. 299. 302. 352. 353 /૨.353 / 3 અને 356 હેઠળ ગુનો નોધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ ગળતેશ્વર તાલુકાના મુસ્લિમ સમાજ ના આગેવાનો અને પડાલ ગામના મુસ્લિમો દ્વારા ગળતેશ્વર તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપી. તેમજ સેવાલિયાના પી.એસ.આઇ.ને લેખિતમાં ફરિયાદ આપી રામગીરી ગુરુ નારાયણ ગીરી મહારાજની વહેલામાં વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને તેઓની સામે સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરી યોગ્ય સજા કરવા માંગણી કરવામાં આવી હતી તેમજ આરોપીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram તથા youtube ની ચેનલ પર અપલોડ કરવામાં આવેલા તમામ વિડિયો દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગુલામ નબી મલેક,સેવાલિયા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા સાદિક મિયા આર મલેક,એડવોકેટ વાસીમ.આઈ. મલેક, એડવોકેટ મોહમ્મદ તસ્લીમ જી મલેક,ઠાસરા મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજના ખેડા જિલ્લાના કન્વીનર ગુલામભાઈ મલેક તલાટી વાડદ, પાલીના સૈયદ અલી સૈયદ, મહેર અલી સૈયદ માલવણ, મકસુદભાઈ કુરેશી સેવાલિયા, રફિકભાઈ મલેક, પત્રકાર યાસીનભાઈ શેખ,હિદાયત તુલ્લા મલેક,

Advertisement

જાવેદ ભાઈ મલેક, ફારૂક મિયા મલેક,મહેમુદ મિયા શેખ,મકસુદ મિયા મલેક,સહીત મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી મુસ્લિમ સમાજના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર તથા ફરિયાદ આપી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!