Connect with us

Gujarat

વાજપાઇ બેંકેબલ યોજનાનો લાભ લેવા ઓનલાઇન અરજી કરો

Published

on

ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઇપણ વ્યકિતને સ્વ રોજગારીની તક મળે અને તેઓ પોતાનો સ્વતંત્ર ધંધો-રોજગાર શરૂ કરી આત્મનિર્ભર બને તે માટે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો,પબ્લીક સેકટર બેંકો, તથા ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન મળી રહે તે હેતુસર સરકારશ્રી દ્વારા

વાજપાઇ બેંકેબલ યોજના અમલમાં મૂકેલી છે. પંચમહાલ જિલ્લામાં સદર યોજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પંચમહાલ મારફત અમલીકરણ થાય છે.

Advertisement

આ યોજના અંતર્ગત ૧૮ થી ૬૫ વર્ષ સુધીની ઉંમરની કોઇપણ વ્યકતિ યોજનાનો લાભ લઇ શકે છે.લાભ લેનાર વ્યકિત ઓછામાં ઓછું ધોરણ-૪ પાસ અથવા સંબધિત ધંધાની  તાલીમ/અનુભવ મેળવેલ હોવી જોઇએ.

અરજદારો નવા એકમ માટે તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે જે-તે બેંકના નિયત કરેલા વ્યાજદરે રૂ.૮ લાખ સુધીની લોન મેળવી શકે છે. જેના ઉપર ૨૦ થી ૪૦ ટકા નિયમ મુજબ મહતમ રૂ.૧,૨૫,૦૦૦/- સુધીની સબસીડી મળવાપાત્ર થાય છે.

Advertisement

આ યોજનાનો લાભ લેવા માટે પાસપોર્ટ ફોટો, આધારકાર્ડ, શાળા છોડયાનો દાખલો/જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અનુભવનો દાખલો/છેલ્લી માર્કશીટની નકલ, ધંધાને લગતા ભાવપત્રક, ધંધાના સ્થળનો આધાર(લાઇટબિલ/વેરાપહોંચ) જેવા ડોકયુમેન્ટ સાથે www.blp.gujarat.gov.in પોર્ટલ ઉપર વિનામૂલ્યે ઓનલાઇન અરજી કરવાની રહેશે. પંચમહાલ જીલ્લાના નાગરિકોને આ યોજના સંબધિત કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,પંચમહાલ, કલેકટર કચેરી કમ્પાઉન્ડ ગોધરા ખાતે સંપર્ક સાધવા મદદનીશ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પંચમહાલએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

યોજના અંતર્ગત બેંક મારફત રૂ.૮ લાખ સુધીની લોન મળી શકશે,મહત્તમ રૂ.૧.૨૫ લાખ સુધીની સબસીડી મળશે

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!