Chhota Udepur

મૃતકના પરિજનોને ધારાસભ્ય ના હસ્તે સહાય

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

પાવીજેપુર તાલુકાના નાના અમાદરા ગામે દિવાલ ધરાશાયી થવાના કારણે મૃત્યુ પામેલા વૃદ્ધાના પરિવારને ૪ લાખની સહાય ચૂકવાઇ

Advertisement

પાવીજેપુર તાલુકાના નાના અમાદરા ગામે પુજારા ફળિયામાં મળસ્કે વરસાદની ધમાકેદાર પધરામણી થતા એક કાચા મકાનની દીવાલ અચાનક ધારાશાયી થતા દીવાલની બાજુમાં સૂતેલા બારીયા કાશીબેન ફતેસિંગભાઈ દિવાલ નીચે દબાઈ જતાં ૭૦ વર્ષની વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેના પરિવારને આજરોજ સરકારની સાહાય માંથી રૂ.૪ લાખનો ચેક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે મૃતકના પરિવારને આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે છોટાઉેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમણભાઈ બારીયા, તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની, પુર્વ તા.પચાયત પ્રમુખ નવલસિંહભાઈ રાઠવા,તાલુકા ભાજપા મહામંત્રી પ્રવીણભાઈ રાઠવા, તલાટી કમ મંત્રી મીનાબેન, કાર્યકર્તા અર્જુનસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version