Sports

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે BCCIની જોરદાર તૈયારી, સિનિયર ખેલાડીઓને મળશે પ્રેક્ટિસની પૂરી તક

Published

on

ભારતીય ટીમ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની T20 શ્રેણી પૂરી થયા બાદ તરત જ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે રવાના થશે. અહીં તેણે 3 T20, 3 ODI અને 2 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ટેસ્ટ શ્રેણીના મહત્વને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ત્રણ ચાર દિવસીય પ્રેક્ટિસ મેચનું આયોજન કરી રહ્યું છે, જેથી ટીમ ઈન્ડિયાના વરિષ્ઠ ખેલાડીઓ શ્રેણીની શરૂઆત પહેલા પોતાની જાતને સંપૂર્ણ રીતે અનુકૂળ બનાવી શકે. ભારતીય ટીમના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ, જેઓ હાલમાં ટેસ્ટ ટીમમાંથી બહાર છે, તેઓ પણ તેમના પુનરાગમનની રાહ જોઈ રહ્યા છે, જેમાં તેમને પણ આ પ્રેક્ટિસ મેચોમાં રમવાની તક મળી શકે છે જેથી તેઓ પોતાને સાબિત કરી શકે.

ટુંક સમયમાં ટીમની જાહેરાત કરવામાં આવશે
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. ટીમમાં કેટલાક નવા નામો પણ જોવા મળી શકે છે, જેઓ છેલ્લા ઘણા સમયથી સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રેક્ટિસ મેચો વિશે માહિતી આપતાં BCCIના એક સૂત્રએ કહ્યું કે હા, આવતા મહિને ભારત ‘A’ અને દક્ષિણ આફ્રિકા ‘A’ વચ્ચે ત્રણ ચાર દિવસીય ટેસ્ટ છે.

Advertisement

તે માટેની ટીમની જાહેરાત થોડા દિવસોમાં કરવામાં આવશે. સેન્ચુરિયન (26 થી 30 ડિસેમ્બર) અને કેપ ટાઉન (3 થી 7 જાન્યુઆરી)માં મુખ્ય ટીમની બે ટેસ્ટ મેચો પહેલા, કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ સાથે સતત પ્રદર્શન કરી રહેલા મોટાભાગના યુવા ખેલાડીઓ પણ ત્યાં હાજર રહેશે. આનાથી તમામ ખેલાડીઓને ત્યાંની પરિસ્થિતિઓ મુજબ એડજસ્ટ થવાની તક મળશે.

અજિંક્ય રહાણે અને પૂજારાની વાપસી પર સૌની નજર છે
ટીમ ઈન્ડિયા એક વખત પણ સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી નથી. આવી સ્થિતિમાં ટીમ માટે આ પ્રવાસ ઘણો મહત્વનો સાબિત થવાનો છે. આ દરમિયાન તમામની નજર ટેસ્ટ ટીમની જાહેરાત પર પણ છે જેમાં ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને ટીમમાં સામેલ કરવામાં આવે છે કે નહીં કારણ કે છેલ્લા એક વર્ષમાં બંનેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તે જ સમયે, ઉપેન્દ્ર યાદવ અને સૌરભ કુમાર જેવા કેટલાક નવા નામો પણ ટીમમાં જોવા મળી શકે છે, જેઓ સ્થાનિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

Advertisement

Trending

Exit mobile version