Connect with us

Ahmedabad

ભૂજ – કચ્છમાં આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજની ચતુર્થ પુણ્યતિથિએ સંતો અને ભક્તોએ ભાવાંજલિ અર્પણ કરી

Published

on

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજ – કચ્છમાં આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજની ચતુર્થ પુણ્યતિથિએ પૂજનીય સંતો અને ભક્તોએ ભાવાંજલિ અર્પણ કરી…

ભારતીય સંસ્કૃતિના સંરક્ષક, સર્વધર્મના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક એટલે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજ. સંસ્કારભાસ્કર આચાર્ય સ્વામીજી મહારાજે અનેકાનેક ઐશ્વર્યો દર્શાવી ૭૮ વર્ષ આ લોકમાં દર્શનદાન આપ્યા છે જે આજે તેઓશ્રીની તિથિ મુજબ ચોથી વાર્ષિક પુણ્યતિથિ છે.

Advertisement

શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજ – કચ્છમાં  શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોના સાનિધ્યમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજનું પૂજન-અર્ચન, આરતી તથા હરિભક્તો દ્વારા કીર્તન મહિમાગન કરવામાં આવ્યું હતું. આ પાવનકારી અવસરનો લ્હાવો કચ્છના તે તે ગામમાં વસતા હરિભકતોએ લીધો હતો. તેમજ તે તે શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં ધૂન, ધ્યાન વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

 

Advertisement

સં. શિ. ગુરુપ્રિયદાસજી સ્વામી

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!