Tech
UPI પેમેન્ટ કરનારાઓ માટે સરકારની મોટી ચેતવણી, આવા તમામ ખાતા બંધ થશે

જો તમે પણ UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) નો ઉપયોગ કરો છો તો તમારા માટે મોટા સમાચાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI યુઝર્સ માટે નવી ગાઈડલાઈન જારી કરી છે. સરકારે કહ્યું છે કે બેદરકારીના કારણે તમારું UPI એકાઉન્ટ અને UPI ID બંધ થઈ શકે છે.
NPCI ની માર્ગદર્શિકામાં શું છે?
NPCIએ પોતાની નવી ગાઈડલાઈનમાં કહ્યું છે કે જો કોઈ UPI યુઝર તેના UPI એકાઉન્ટમાંથી એક વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરે તો તેનું UPI ID બંધ કરી દેવામાં આવશે. જો કોઈ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન પોતાનું બેલેન્સ પણ તપાસે છે, તો તેનું આઈડી બ્લોક કરવામાં આવશે નહીં.
NPCIએ જણાવ્યું હતું કે, ‘ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં સુરક્ષિત વ્યવહારનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે ગ્રાહકો માટે બેંકિંગ સિસ્ટમમાં તેમની માહિતીની નિયમિત સમીક્ષા અને ચકાસણી કરવી જરૂરી છે. યુઝર્સ એકાઉન્ટ સાથે લિંક કરેલ તેમનો મોબાઈલ નંબર બદલી નાખે છે પરંતુ તે નંબર સાથે લિંક કરેલ UPI એકાઉન્ટ બંધ કરતા નથી.
આ માર્ગદર્શિકાનો હેતુ UPI વપરાશકર્તાઓને સુરક્ષિત અનુભવ પ્રદાન કરવાનો છે. આ વર્ષે પણ ઘણા UPI એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. તે 31 ડિસેમ્બર 2023થી શરૂ થશે. NPCI આ અંગે યુપીઆઈ યુઝર્સને ઈ-મેલ દ્વારા એલર્ટ મોકલશે.