Panchmahal

શાહુડીના ફંદામાં ફસાયેલા દીપડાનું મોત

Published

on

ઘોઘંબા તાલુકાના ધનેશ્વર રોડ ઉપર આવેલ કોતર પાસે શાહુડીને પકડવા માટે બનાવેલા ગાળ્યા માં દીપડો ફસાઈ જતા દીપડાનું મોત નીપજયુ હતું રાત્રિના સમયે શાહુડીને પકડવા માટે કેટલાક ઈસમો દ્વારા ફંદો બનાવવામાં આવ્યો હતો પરંતુ શાહુડીના બદલે દિપડો ફંદામાં ફસાઈ ગયો હતો બચવા માટે વલખા મારતા દીપડાનું આખરે મૃત્યુ નીપજયુ હતું.

આ બાબતની જાણ રાજગઢ વન વિભાગને થતા વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહને પીએમ કરાવી અધિકારીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાજગઢ વન વિભાગે વન્ય પ્રાણીઓના શિકારીને શોધવાની તજવીજ હાથ ધરી છે

Advertisement

Trending

Exit mobile version