Health
ફ્રેન્ચ ફ્રાઈસના શોખીન છો તો સાવચેત રહો, નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો

‘ફ્રેન્ચ ફ્રાઈસ’ એ આજના સમયમાં દરેકનો ફેવરિટ ટાઈમપાસ ફૂડ છે. મૂવી જોતી વખતે કે પુસ્તક વાંચતી વખતે કે મિત્રો સાથે ચેટ કરતી વખતે ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની મજા બમણી થઈ જાય છે. પરંતુ હવે આ વાનગીને લઈને એક નવા અભ્યાસમાં કંઈક એવો ખુલાસો થયો છે, જે તમારી ચિંતામાં વધારો કરશે. તળેલું, ચીકણું અને સ્ટાર્ચયુક્ત ફ્રેન્ચ ફ્રાઈસ તમારા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. હા, તમે સાચું વાંચી રહ્યા છો.
ચીનમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે તળેલા ખોરાક, ખાસ કરીને તળેલા બટાકાનું વારંવાર સેવન કરવાથી લોકો શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ બની શકે છે. જે લોકો આવા ખોરાકનું સેવન કરતા નથી તેમની સરખામણીમાં, જે લોકો આવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે તેઓમાં ચિંતાની સમસ્યાનું જોખમ 12% અને ડિપ્રેશનનું જોખમ 7% વધારે હોય છે.
જો કે, અભ્યાસ હાથ ધરનારા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પરિણામો પ્રારંભિક છે અને તળેલી ખાદ્ય ચીજો માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ નથી અથવા જે લોકો ડિપ્રેશન અથવા ચિંતાના લક્ષણો અનુભવી રહ્યા હતા તેઓ તળેલા ખોરાક સાથે જોડાયેલા હતા. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જે સહભાગીઓ નિયમિતપણે એક કરતાં વધુ તળેલા ખોરાકનું સેવન કરે છે તેઓ યુવાન પુરુષો હોવાની શક્યતા વધુ હતી.
તળેલા ખોરાક અને ડિપ્રેશન વચ્ચેનું જોડાણ
સંશોધન મુજબ, માનસિક સ્વાસ્થ્ય માટે તળેલા ખોરાકનો વપરાશ ઘટાડવા પર ભાર મૂકવામાં આવે છે. પરંતુ હજુ પણ તેના તારણો અંગે થોડી શંકા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે સંશોધનનાં પરિણામો પ્રાથમિક હોવાથી હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તળેલા ખોરાકથી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધે છે કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે લોકો તળેલા ખોરાક તરફ વળે છે. સરળ ભાષામાં સમજાવવા માટે, ‘લોકો તળેલી વસ્તુઓ તરફ આકર્ષાય છે કારણ કે તેઓ ચિંતિત અથવા હતાશ છે અથવા તેઓ ચિંતા અથવા હતાશાથી પીડાતા હોવાથી તેઓ વધુ તળેલી વસ્તુઓનું સેવન કરે છે’. તારણો કાઢવાનું ખૂબ જ વહેલું છે.
તળેલા ખોરાક અને ડિપ્રેશન વચ્ચેનું જોડાણ
સંશોધન મુજબ, માનસિક સ્વાસ્થ્ય માટે તળેલા ખોરાકનો વપરાશ ઘટાડવા પર ભાર મૂકવામાં આવે છે. પરંતુ હજુ પણ તેના તારણો અંગે થોડી શંકા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે સંશોધનનાં પરિણામો પ્રાથમિક હોવાથી હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તળેલા ખોરાકથી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધે છે કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે લોકો તળેલા ખોરાક તરફ વળે છે. સરળ ભાષામાં સમજાવવા માટે, ‘લોકો તળેલી વસ્તુઓ તરફ આકર્ષાય છે કારણ કે તેઓ ચિંતિત અથવા હતાશ છે અથવા તેઓ ચિંતા અથવા હતાશાથી પીડાતા હોવાથી તેઓ વધુ તળેલી વસ્તુઓનું સેવન કરે છે’. તારણો કાઢવાનું ખૂબ જ વહેલું છે.