Connect with us

Dahod

ઝાલોદ જયદેવા ગણેશ ગ્રૂપ દ્વારા ગણપતિ બાપ્પાનું ભવ્ય આતશબાજી સાથે આગમન કરાયું

Published

on

Ganapati Bappa was welcomed with a grand fireworks display by Jalod Jayadeva Ganesh Group.

(પંકજ પંડિત દ્વારા)

ઝાલોદ નગરમાં આગામી સમયમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તે અંતર્ગત નગરના જયદેવા ગ્રુપ દ્વારા આજ રોજ 12-09-2023 ના રોજ નગરમાં ગણેશજીનું આગમન કરવામાં આવ્યું. ગણેશજીના આગમન ટાણે જયદેવા ગ્રુપ દ્વારા શોભાયાત્રામાં ભવ્ય આતશબાજી, ઢોલ નગારા વગાડી , ડીજેના તાલ સાથે ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ગણપતિના આગમન ટાણે ભવ્ય રીતે હવામાં કાગળની પટ્ટીઓ નાની તોપમાં નાખી હવામાં ઉછાળવામાં આવેલ હતી. જયદેવા ગ્રુપ દ્વારા કરાયેલ આગમનને નિહાળવા માટે મોટા પ્રમાણમાં નગરજનો ઉમટી પડેલ હતા. જયદેવા ગ્રુપના તેમજ નગરના સહુ લોકોએ ગણપતિજીના આગમનને નાચી ઝૂમી વધાવી લીધેલ હતું. આખું નગર ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નારાઓ થી ગુંજી ઉઠેલ જોવા મળતું હતું.

Advertisement

Ganapati Bappa was welcomed with a grand fireworks display by Jalod Jayadeva Ganesh Group.

જયદેવા ગ્રુપ ગણેશ મંડળ આકર્ષક ઝાંખી તેમજ બાપ્પાના ભવ્ય દરબારમાં દર્શન માટે જાણીતું છે. જયદેવા ગ્રુપ દ્વારા નગરના ગણેશ ભક્તો માટે દર વર્ષે નિત નવી ઝાંખી માટે જાણીતું છે. જયદેવા ગ્રુપ નગરના પ્રતિષ્ઠિત ગણેશ મંડળમાં સ્થાન ધરાવે છે નગરના જયદેવા ગ્રૂપ દ્વારા દ્વારા મુકવામાં આવતી ઝાંખીને તાલુકાના આસપાસના વિસ્તારના લોકો જોવા ઉમટી આવતા હોય છે.

* આખું નગર ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નારા સાથે ગુંજી ઉઠયું હતું
* જયદેવા ગ્રુપના ગણપતિ આગમનને વધાવવા આખું નગર ઉમટી પડયું

Advertisement
error: Content is protected !!