Panchmahal

બાજપાઇ બેંકેબલ યોજના અને માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

Published

on

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,ગોધરાએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે પંચમહાલ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર વ્યકિતઓને સ્વરોજગારી પુરી પાડવા માટે કચેરી દ્વારા બાજપાઇ બેંકેબલ યોજના અને માનવ કલ્યાણ યોજના અમલીકૃત છે, જે યોજના હેઠળ ચાલૂ વર્ષમાં લાભ મેળવવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ નીચે મુજબની વેબ સાઇડ પર ઓન-લાઇન અરજી કરીને લાભ લેવા જણાવ્યું છે જેમાં બાજપાઇ બેંકેબલ યોજના માટે www.blp.gujarat.gov.in તથા માનવ કલ્યાણ યોજના માટે www.e-kuter.gujarat.gov.in ઉપરોક્ત વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવા જણાવ્યું છે.

વાજપાઈ બેંકેબલ યોજના શું છે?

Advertisement

કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના
હેતુ:- આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.

યોજનાની પાત્રતા:
૧. ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ
૨.શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ અથવા તાલીમ/અનુભવઃ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.
૩.આવક મર્યાદા નથી.

Advertisement

બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા:
(૧) ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
(ર) સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
(૩) વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.

માનવ કલ્યાણ યોજના

Advertisement

આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વ૮રોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યરકિતઓ/કારીગરોની આર્થીક સ્થિ તિ સુધારવા માટેની અગાઉની સ્વીરોજગાર યોજનાને બદલે તા૧૧/૯/૯૫થી શરૂ કરવામાં આવી છે. આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવા ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્યં વિસ્તાેર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્તાષર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધીની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યાવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.

પાત્રતાઃ
૧.ઊંમર:૧૬ વર્ષ થી ૬૦ વર્ષ

Advertisement

૨ આવક મર્યાદા:

ગ્રામ્યઃ વિસ્તા:રના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. આ લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અથવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્યઆ વિસ્તાોર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્તા ર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

Advertisement

નાણાંકીય સહાયઃ-
તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં સહાય મળશે.

Advertisement

Trending

Exit mobile version