Connect with us

Entertainment

જાણો રણબીરને છે કઈ વાતનો અફસોસ શમશેરાને લઈને આપ્યું આવું નિવેદન

Published

on

know-what-ranbir-regrets-for-making-such-a-statement-about-shamshera

તેનું એવું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘શમશેરા’ જોવા માટે તેના પિતા રિશી કપૂર જીવતા હોત તો સારું હોત.રણબીર કપૂરને એક આ વાતનો વસવસો રહી ગયો છે. તેનું એવું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘શમશેરા’ જોવા માટે તેના પિતા રિશી કપૂર જીવતા હોત તો સારું હોત. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત અને વાણી કપૂર પણ જોવા મળશે.

બાવીસ જુલાઈએ આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. પિતા રિશી કપૂરને યાદ કરતાં રણબીર કપૂરે કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે કે કદાચ મારા પિતા આજે હયાત હોત.અને તેઓ હંમેશાંથી પોતાનાં મંતવ્યોને લઈને પ્રામાણિક રહ્યા છે. તેમને કોઈ વસ્તુ પસંદ પડે કે ના પડે તો તેઓ બિન્દાસ કહી દેતા હતા. ખાસ કરીને તો મારા કામ વિશે. એથી એ વાતનું દુ:ખ છે કે તેઓ આ ફિલ્મ નહીં જોઈ શકે. જોકે મને એ વાતની ખુશી છે કે હું આવી ફિલ્મ કરી શક્યો છું.

Advertisement

આશા છે કે તેઓ જ્યાં પણ હશે ત્યાં તેઓ મને જોતા હશે અને મારા પર ગર્વ અનુભવતા હશે. હું એક ઍક્ટર અને સ્ટાર તરીકે આગળ વધવા માગું છું. મને લાગે છે કે ‘શમશેરા’ એના તરફનું એક પગલું છે. તમે હંમેશાં બહોળા પ્રમાણમાં દર્શકો માટે ફિલ્મ બનાવવા માગો છો. તમે એવી સ્ટોરી કહેવા માગો છો જે અલગ-અલગ પેઢીને જોડી શકે અને તેમનું મનોરંજન કરી શકે. લોકો આ ફિલ્મને જોઈને કેવી પ્રતિક્રિયા આપશે એ જાણવા માટે આતુર છું.’

Advertisement
error: Content is protected !!