Connect with us

Gujarat

વડોદરા શહેરમાંચાર કરતા વધારે વ્યક્તિઓએ ભેગા થવું નહીં

Published

on

સભા ભરવીબોલાવવી કે રેલી કાઢવી  નહીંસભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ ૩૭(૩) અન્વયે વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.

Advertisement

વડોદરા શહેરમાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનરની હકુમતના વિસ્તારમાં તા. ૩૦/૦૭/૨૦૨૪ સુધી ચાર કરતા વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં તેમજ સભા ભરવી, બોલાવવી કે રેલી કાઢવી નહી અને કોઈપણ જાતની સભા-સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમ જે વ્યક્તિ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા સ્મશાન યાત્રાને, લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં.

Advertisement

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ- ૧૩૫(૩) મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!