Surat

સુરતમાં કનસાડ લાજપોર રેલવે ઓવરબ્રિજ પર બાઈક સ્લીપ થતાં એકનું મોત

Published

on

સુનિલ ગાંજાવાલા સુરત

સુરતમાં કનસાડ લાજપોર રેલવે ઓવરબ્રિજ પર બાઇક સ્લીપ થતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જયારે તેના મિત્રને ગંભીર ઇજા પહોંચી હતી. માસીના ઘરેથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો અને મોતને ભેટ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે યુવકના મોતને પગલે પરિવારે આધાર અને બે સંતાનોએ પિતા ગુમાવ્યા છે. પલસાણા ગામ ખાતે 27 વર્ષીય સંજય બળવંતભાઈ રાઠોડ પત્ની અન બે સંતાનો સાથે રહેતો હતો.સંજય ખેત મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સંજયના માતા પોતાનું અવસાન થઈ ચૂક્યું છે. જ્યારે સંજય પરિવારનો એકનો એક દીકરો હતો.

Advertisement

ગત રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ સંજય અને તેનો મિત્ર રમેશ રાઠોડ બાઈક લઈને કનસાડ ગામ ખાતે રહેતા માસીના ઘરે ગયા હતા. ત્યાંથી રાત્રે દોઢ વાગ્યા આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કનસાડ લાજપોર રેલવે ઓવરબ્રિજ પર બાઇક સ્લીપ થઇ હતી. જેથી બંને નીચે પટકાયા હતા. બાઈક સ્લીપ થતાં સંજયનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે રમેશને ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલના સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સંજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સંજયના મોતના પગલે પરિવારે આધાર ગુમાવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version