Panchmahal

આગામી ૨૦ માર્ચના રોજ પંચમહાલ જિલ્લાનો એપ્રેન્ટિસ ભરતી” મેળો

Published

on

પંચમહાલ જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળો આઈ.ટી.આઈ,ગોધરા અને આઈ.ટી.આઈ,હાલોલ ખાતે તા.૨૦/૦૩/૨૦૨૩ના રોજ સવારે ૯:૩૦ વાગ્યાથી શરૂ થનાર છે. જેમાં જિલ્લાના વિવિધ એકમો તેઓની વેકેન્સી સાથે હાજર રહેશે. આ ભરતી મેળામાં આઈ.ટી.આઈ પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે. આ મેળામા જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ તેઓના જરૂરી પ્રમાણપત્ર અને તેની નકલો સાથે રૂબરૂ હાજર રહેવું.

સદર ભરતી મેળામા જોડાવા ઇચ્છુક ઉમેદવારો નીચે આપેલ લિંકમાં રાજ્ય ગુજરાત અને જિલ્લો પંચમહાલ પસંદ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે લિંક https://dgt.gov.in/appmela2022/candidate છે તેમ ઔધોગિક તાલીમ સંસ્થા ગોધરાના આચાર્યએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version