National
નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને છેડાયું રાજકીય યુદ્ધ, કોંગ્રેસ, AAP, TMC સહિત આ પાર્ટીઓએ કર્યો બહિષ્કાર

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ મોરચો ખોલી દીધો છે. અનેક રાજકીય પક્ષોએ સંયુક્ત રીતે કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. પીએમ દ્વારા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાવવા માટે તેઓએ ભાજપને ઘેરી લીધો છે. તેઓ તેને રાષ્ટ્રપતિનું અપમાન ગણાવી રહ્યા છે. એક તરફ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાની માગણી સાથે સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
સાથે જ તેમણે ઉદ્ઘાટનની તારીખ પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેઓ કહે છે કે આ દિવસ સાવરકરની જન્મજયંતિ છે.
વિપક્ષે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યો હતો
જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ સરકારના કાર્યકાળમાં સંસદમાંથી લોકશાહીની ભાવના દૂર કરવામાં આવી છે અને રાષ્ટ્રપતિને સમારોહથી દૂર રાખવા એ ‘અભદ્ર કૃત્ય’ અને લોકશાહી પર સીધો હુમલો હોવાનું કહીને તમામ વિપક્ષી પક્ષોએ સમારોહનો સામૂહિક બહિષ્કાર કર્યો છે.
આ વિરોધ પક્ષો ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરી રહ્યા છે
1) કોંગ્રેસ, 2) તૃણમૂલ કોંગ્રેસ, 3) દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), 4) જનતા દળ (યુનાઈટેડ), 5) આમ આદમી પાર્ટી (AAP), 6) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, 7) શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) , 8) કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્ક્સવાદી (CPM), 9) સમાજવાદી પાર્ટી (SP), 10) રાષ્ટ્રીય જનતા દળ (RJD), 11) ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI), 12) ઝારખંડ મુક્તિ મોરચા અને નેશનલ કોન્ફરન્સ, 13) ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, 14) કેરળ કોંગ્રેસ (મણિ), 15) રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી, 16) વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK), 17) મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK) અને 18) રાષ્ટ્રીય લોક દળે ઉદ્ઘાટનનો સંયુક્ત બહિષ્કાર કરવાની જાહેરાત કરી. સમારોહ. છે.