Gujarat

સ્થાયી સમિતિ અધ્યક્ષના જન્મદિવસની ઉજવણીમાં 500 કફન નવી સિવિલને અર્પણ

Published

on

સુનિલ ગાંજાવાલા

આજના ભૌતિક સુખ-સગવડોમાં મહાલતો માનવી માત્ર પોતાના સુખની જ ચિંતા કરતો હોય છે, પણ આપણા સમાજમાં કેટલાક એવા સજ્જનો છે જે પોતાના સુખની સાથે અન્યોના સુખની પણ ચિંતા કરતા હોય છે.સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલના ૫૯માં જન્મ દિવસે ખટોદરા કોમ્યુનિટી હોલ ખાતે નર્સિંગ એસોસિએશન અને નર્સિંગ બહેનો દ્વારા ફેશિયલ પાલ્સી બિમારીથી પીડિત બાળકોને છત્રી અને ફ્રૂટ વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિમય ઉજવણી કરી હતી.ઉજવણી પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં બિનવારસી મૃતદેહોને સન્માન પૂર્વક વિધિ થાય તે હેતુથી ૫૦૦ કફન ઈમરજન્સી વિભાગના નર્સિંગ સ્ટાફને અર્પણ કરી આજીવન સેવા પુરી પાડવાનો અનોખો સંકલ્પ કર્યો હતો. બાળકોના વોર્ડમાં ૧૫૧ બાળકોની સાથે ૫૦૦થી વધુ સફાઈ કામદારોને છત્રી, ૧૦૦થી વધુ નવજાત શિશુંને છ માસ સુધી ચાલી શકે તેવા ઝબલા, ગોદડી, રૂમાલ, રજાઈ, ઘોડિયું સહિતની સ્પેશિયલ કીટ અર્પણ કરવામાં આવી હતી. તેમજ ૧૫૧ ધાત્રી-સગર્ભા માતાઓને પોષણયુક્ત કીટ જેમાં ગોળ, ખજૂર, સીંગદાણા, ગુંદરનું પરેશભાઈ પટેલના હસ્તે વિતરણ કરી સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે જન્મદિવસ ઉજવી સમાજને સંદેશ આપ્યો હતો.

Advertisement

આ ઉપરાંત ઉધના વિસ્તારની નગર પ્રાથમિક શાળા ક્રમાંક ૨૦૮માં વૃક્ષા રોપણ કરી અને પત્ની રોમાબેન અને પરેશભાઈ પટેલે ભારતી મૈયા વૃધ્ધાશ્રમના વડિલોને ભોજન કરાવી આર્શીવાદ લીધા હતા.
નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, સુરત શહેરના દરેક નાગરિકે પોતાના જન્મદિવસની ઉજવણી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સેવા કરીને અને શિક્ષણના ધામમાં ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો.આ અવસરે સુરત શહેર સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય સંદિપભાઈ દૈસાઈ, મનુભાઈ પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.કે.એન.ચાવડા, ડે.મેયર દિનેશભાઈ જોધાણી, સિન્ડિકેટ સભ્ય અને મેડિકલ ફેકલ્ટી ડીન ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, સામાજિક અગ્રણી કલ્પેશ મહેતા, સિન્ડિકેટ મેમ્બર કશ્યપસિંહ ખરચીયા, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપુત, સામાજીક અગ્રણી કાળુભાઈ, મહામંત્રી મુકેશભાઈ દલાલ સહિત નગરસેવકો, નર્સિંગ સ્ટાફ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version