Chhota Udepur

જેતપુરપાવીમાં વડાપ્રધાન ના જન્મ દિવસ ની ઉજવણી

Published

on

(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ)

વિશ્વનેતા નરેન્દ્ર મોદી એવા નેતા છે. જે સંઘર્ષોની પરાકાષ્ઠા પાર કરી આજે સફળતા શિખરો પર પહોંચ્યા છે. રાજકારણમાં કોઇ ગોડફાધર વીના એક સફળ મુખ્યમંત્રી અને એક સફળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બની શક્યા છે. અવિરત સંઘર્ષનું બીજુ નામ છે નરેન્દ્ર મોદી. ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી મોદીની રાહ પડકારોથી ભરી હતી. પણ પડકારોને પડકાર આપી મોદી સફળતાની સીડીઓ ચડતા ગયા.

અને આજે દેશના સર્વોચ્ચ પદે શાનથી બિરાજમાન છે. આજે પી.એમ. મોદીના ૭૨ માં જન્મદિવસની દેશભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે જેતપુરપાવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ પોતાના મત વિસ્તારમાં આવતા ટીંબી દર્દીઓને ઘરે ઘરે જઈને દાળ ચોખા તેલ ગોળ તમામ વસ્તુ આપી દર્દી જલ્દી સાજા થઈ જાય તેવા આશીર્વાદ આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરી હતી.

Advertisement

Trending

Exit mobile version