Gujarat

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે ‘સાવરણી’ લગાવી, અમિત શાહે કરી ‘મંગલ આરતી’

Published

on

ગુજરાતના અમદાવાદ શહેરમાં મંગળવારે સવારે કડક સુરક્ષા વચ્ચે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને તેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસે પ્રથમ વખત રથયાત્રાના સમગ્ર રૂટ પર નજર રાખવા માટે 3D મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે અને કોઈપણ ગેરકાયદે ડ્રોન આવતા અટકાવવા માટે એન્ટી ડ્રોન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથના માર્ગને સાફ કરવાની પ્રતીકાત્મક વિધિ ‘પહિંદ વિધિ’માં ભાગ લીધો હતો. આ પછી, ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન દેવી સુભદ્રાના રથ જમાલપુર વિસ્તારમાં સ્થિત 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી 18 કિલોમીટરની રથયાત્રા માટે નીકળ્યા.

Advertisement

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રથયાત્રા શરૂ થતાં પહેલાં સવારે મંદિરમાં ‘મંગલ આરતી’ કરી હતી. ANI અનુસાર, અમિત શાહ તેમના એક દિવસીય ગુજરાત પ્રવાસ પર પહોંચ્યા છે. જમાલપુર વિસ્તારમાં ‘રથયાત્રા’ પહેલા તેમણે જગન્નાથ મંદિરની ‘મંગલ આરતી’માં ભાગ લીધો હતો. ગૃહમંત્રી અમિત શાહ આજે અનેક જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. અમદાવાદમાં ઉજવાતો ‘રથયાત્રા’ ઉત્સવ પુરીની જગન્નાથ રથયાત્રા પછી દેશની બીજી સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે.

રથયાત્રામાં 15 જેટલા શણગારેલા હાથીઓ ત્રણ રથ સાથે ચાલી રહ્યા છે. આ ઉપરાંત, 100 ટ્રક સાથે ટેબ્લોક્સ અને ગાયકો છે. હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે અષાઢ શુક્લ દ્વિતીય (આષાઢી બીજ)ના દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે.

Advertisement
Advertisement

મંગળવારે રાત્રે 8.30 વાગ્યા સુધીમાં યાત્રા જૂના શહેરથી નીકળી મંદિરે પરત ફરશે. જમાલપુર, કાલુપુર, શાહપુર અને દરિયાપુર જેવા કેટલાક સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારો પણ રસ્તામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રથયાત્રાના રૂટ પર સુરક્ષા માટે વિવિધ સ્થળોએ શહેર પોલીસ, હોમગાર્ડ, રાજ્ય અનામત પોલીસ અને અર્ધલશ્કરી દળોના 26,000થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

Advertisement

Trending

Exit mobile version