Chhota Udepur

બોડેલી બાર એશોશિએશન દ્વારા સત્ય નારાયણની કથાનું આયોજન

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

આજ રોજ બોડેલી બાર એસોસિયેશન દ્વારા ભગવાન સત્ય નારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડેલી બાર એશોશિશન ના તમામ વકીલ મિત્રો એ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી ત્યારબાદ ભોજન પ્રસાદીનો પણ તમામ વકીલ મિત્રો એ લાભ્ લીધો હતો. આજ રોજ બોડેલી બાર એશોશિએશનના સ્વ :વકીલ કિરણભાઇ અરવિંદભાઇ રહે ભેસવાહી તેમનું તાજેતર માં અવસાન થયેલું હોય તેઓને અવસાન થી તેમના ઘર પરિવાર ખુબ આઘાત મા હોય ત્યારે આ પરિવારને ફુલ નઈ ને ફુલ ની પાંખડી રૂપે બોડેલી બાર એશોસિયેશનના વકીલ મિત્રો ના સહયોગ અને બોડેલી બાર એશોશિયેશન ફંડ માંથી રૂપિયા ૫૧૦૦૦/- બેન્ક ઓફ બરોડા મા ફિક્સ ડિપોઝિટ કરી સ્વ: કિરણભાઇ ના દીકરા અનિરુદ્ધ કુમાર કિરણભાઈ રાઠવા ના નામની ફિક્સ ડિપોઝિટ ની પાવતી આજ રોજ સ્વ: કિરણભાઈ ની ધર્મ પત્ની જીગનીશાબેન કિરણભાઈ નાઓને સુપ્રત કરવા મા આવી અને “બાર કાઉન્સિલ ઓફ ગુજરાત “ તરફ થી મળતી સહાય માટે તમામ કાગળો ની પુર્તાત કરવમા આવી છે.

Advertisement

અને ટુક સમય માં જ એક પ્રતિનિધિ મંડળ બીસીજી , અમદાવાદ મુકામે જય ફાઈલ સબમિટ કરશે જે પણ મળવા પાત્ર રકમ છે તે તેઓ ને મળશે જેમાં બોડેલી બાર એશોશિયેશન ના તમામ વકીલ સિનિયર તથા જુનિયર મિત્રો આ કાર્યક્રમમા હાજર રહી બોડેલી બાર એશોશિયેશન ના પ્રમુખ લલિતચંદ્ર ઝેડ રોહિત એ, સ્વ :વકીલ કિરણભાઇ એ રાઠવા ના પરિવાર ને તમામ વકીલ મિત્રોએ જે આર્થિક સહયોગ કરીયો છે તે બદલ તમામ વકીલ મિત્રો અને હોદેદારો નો આભાર માની અને ભવિષ્ય માં પણ બોડેલી વકીલ મંડળ સેવા કર્યો કરતા રહેશે તમામ વકીલ મિત્રનો સતત સાથ સહકાર મળતો રહ્યો છે અને રહેશે તેવી પણ આશા વ્યકત કરી હતી

બોડેલી વકીલ મંડળ દ્વારા રૂપિયા ૫૧૦૦૦/- હજાર ની સહાય સ્વ : વકીલ કિરણભાઈ એ રાઠવા ના પરીવાર ને

Advertisement

Trending

Exit mobile version