Connect with us

Panchmahal

હાલોલ પંથકમાં સોમવતી અમાસની ઉજવણી કરાઈ

Published

on

somvati-amas-was-celebrated-in-halol-panthak

વર્ષની પહેલી સોમવતી અમાસ આજે છે સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે આ પ્રકારનો સહયોગ વર્ષમાં બે અથવા ક્યારેક ત્રણ વાર પણ બની જાય છે આ દિવસે પૂજા પાઠ વ્રત સ્નાન અને દાન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે અમાસના દિવસે તીર્થસ્થાન કરવાથી ક્યારેક નષ્ટ ન થતું પુણ્ય પણ મળે છે.આ તિથિએ પોતપોતાના ક્ષેત્રના પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરોમાં દર્શન કરવા જોઈએ અને શુભ કાર્ય કરવા જોઈએ.સોમવતી અમાસના દિવસે પીપળાની પૂજા પણ કરવામાં આવે છે

somvati-amas-was-celebrated-in-halol-panthak

જેમાં પીપળના વૃક્ષમાં પ્રિતુઓ અને બધા દેવોનો વાસ હોય છે એટલે સોમવતી અમાસના દિવસે જે દૂધમાં પાણી અને કાળા તલ મિક્સ કરીને સવારે પીપળાને ચડાવે છે તેમને પિતૃદોષથી મુક્તિ મળી જાય છે તે પછી પીપળાની પૂજા અને પરિક્રમા કરવાથી બધા દેવતા પ્રસન્ન થાય છે આવું કરવાથી દરેક પ્રકારના પાપ પણ દૂર થાય છે ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે પીપળાની પરિક્રમા કરવાથી મહિલાઓનું સૌભાગ્ય પણ વધે છે એટલે તેને શાસ્ત્રોમાં અશ્વત્થ પ્રદક્ષિણા વ્રત પણ કહેવામાં આવે છે જેને લઈ આજે હાલોલ સ્મશાન ગૃહ ખાતે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે પીપળ નાં વૃક્ષ ની મહિલાઓ એ પૂજા કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement
error: Content is protected !!