Connect with us

Ahmedabad

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર અમેરિકાના સિકોકસ ખાતે પ્રાર્થના સભા યોજાઈ

Published

on

તાજેતરમાં કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદથી ભૂસ્ખલન થતાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. ઘણા બધા ઘવાયા છે, સેંકડો લોકો કાદવ કીચડમાં ફસાયા છે. આ કેરળની સૌથી મોટી કુદરતી આપત્તિમાં વિનાશનું તાંડવ સર્જાયું છે, ત્યારે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી અમેરિકાના સિકોકસના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં હોનારતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને આ વજ્રઘાત સહન કરવાની ભગવાન બાપા સ્વામીબાપા શક્તિ આપે તેમજ જે જે ઘાયલ થયા છે તે જલ્દી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના, ધૂન, ધ્યાન કરવામાં આવ્યા હતા.

મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી

Advertisement

Continue Reading
Advertisement
error: Content is protected !!