Connect with us

Ahmedabad

શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં પૂજનીય સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિામાની દબદબાભેર ઉજવણી કરાઈ

Published

on

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર નાઈરોબીમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં દિવ્ય સાનિધ્યમાં તથા પ્રવર્તમાન જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પાવનકારી અવસરે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી, શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા દેશો દેશના હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું પૂજન, અર્ચન તથા આરતી ઉતારવામાં આવી હતી. ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ૧૯૭૪ માં એચ. એચ. સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરી હતી. તેને ચાલું સાલે ૫૦ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સુવર્ણ મહોત્સવ ઉજવાશે તેનો લોગો અનાવરણ કરવામાં આવ્યો હતો. આ અવસરનો લ્હાવો હરિભક્તોએ દબદબાભેર લીધો હતો.

Advertisement

સં. શિ. ગુરુપ્રિયદાસજી સ્વામી

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!