Gujarat

ગુજરાત રમખાણોના કેસમાં તિસ્તા સેતલવાડ માટે સુપ્રીમ કોર્ટે વધારી રાહત, હવે 19 જુલાઈ સુધી છૂટ

Published

on

સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને ગોધરા ટ્રેન દુર્ઘટના પછીના રમખાણો સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી થોડી વધુ રાહત મળી છે. હવે તેને 19મી જુલાઈ સુધી વચગાળાના જામીન મળી ગયા છે. તિસ્તા સેતલવાડના નિયમિત જામીન નામંજૂર કરતા ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. હવે આગામી સુનાવણી 19 જુલાઈએ થશે.

જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી સેતલવાડની અરજી પર ગુજરાત સરકારને નોટિસ જારી કરી હતી. સુનાવણીની શરૂઆતમાં, એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ સુપ્રીમ કોર્ટ પાસે સમય માંગ્યો અને કહ્યું કે તેમને દસ્તાવેજોના અનુવાદ માટે સમયની જરૂર છે. ખંડપીઠે તેમની વિનંતી સ્વીકારી હતી અને આ મામલાની વધુ સુનાવણી 19 જુલાઈના રોજ રાખી હતી.

Advertisement

હાઈકોર્ટે નિયમિત જામીન માટેની સેતલવાડની અરજીને ફગાવી દીધી હતી અને ગોધરા (ગુજરાત) પછીના રમખાણોના કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવાના કથિત બનાવટના કેસમાં તરત જ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ટોચની અદાલતે, 1 જુલાઈના રોજ મોડી રાતની વિશેષ સુનાવણીમાં, સેતલવાડને ધરપકડથી રક્ષણ આપ્યું હતું અને એક અઠવાડિયા માટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version