Surat

મણિપુરમાં મહિલાઓ પર થયેલા અત્યાચાર મુદ્દે સુરત મહિલા વકીલો મેદાને

Published

on

(સુનિલ ગાંજાવાલા સુરત)

મણિપુરમાં મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને ફાંસીની સજા આપવા સુરત મહિલા વકીલોએ માંગ કરી છે. જે અંગે સુરત ડિસ્ટ્રિક્ટ લેડી એડવોકેટ એક્ટિવ કમિટીના કન્વીનર એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષીની આગેવાનીમાં કમિટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

Advertisement

મણિપુરમાં મહિલાઓ ઉપર થયેલા અત્યાચાર ના પડઘા દેશ અને દુનિયામાં પડ્યા છે જેનાથી દેશ ની છબી ખરડાઇ છે મહિલા ઉપર અત્યાચાર નો વિડિઓ જોઈ લોકો માં રોષ ફેલાયો હતો ત્યારે મહિલા ઉપર અત્યાચાર થી વ્યથિત થયેલી સુરત મહિલા વકીલોએ અત્યાચાર કરનારાઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

Advertisement

Trending

Exit mobile version