Gujarat

સ્વચ્છ ભારત મિશન સર્વેક્ષણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ

Published

on

સંતરામપુર નગરપાલિકા દ્વારા કન્યાશાળા સંતરામપુર ખાતે વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવામાં જાગૃતિ લાવવા માટે સ્વચ્છતા ને માર્ગદર્શન આપેલ હતું. તથા તેઓને ધોરણ 3 થી 8 સુધીના વિદ્યાથીઓને સ્વચ્છતા સ્પર્ધામાં ભાગ લેવા જણાવેલ જેમાંથી 69 બાળકો એ સ્પર્ધામાં ભાગ લીધેલ અને સ્વચ્છતા ને લગતા ચિત્રો સુંદર બનાવેલ સદર કાર્યક્ર્મ બપોરના 3 થી 4 ના સમયગાળામાં યોજવામાં આવેલ હતો.


આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કન્યાશાળા આચાર્ય અર્ચનાબેન પટેલ, આસિસ્ટન્ટ શિક્ષક મહેશભાઈ તથા અન્ય સ્ટાફ દ્વારા જરૂરી સહયોગ આપેલ હતો. આ કાર્યક્રમ પ્રવિણસિંહ સોલંકી (હેડ કલાર્ક) , નિલેશભાઇ સોલંકી, (એસ.આઈ બંટી ભોઈ ( એમ.આઇ. એસ.), ઘનશ્યામભાઈ ડામોર (એપ. એસ.આઇ) , પ્રવીણ તાવિયાડ , (એપ. એસ.આઇ.) દ્વારા ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા ના માર્ગદર્શન થી યોજવામાં આવ્યો હતો.

અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

Advertisement

Trending

Exit mobile version