Gujarat

ભિખારી પાસે હતા લાખો રૂપિયા છતાં ભૂખને કારણે મૃત્યુ પામ્યો, 2 દિવસથી ભૂખ્યો હતો ભિખારી, ડૉક્ટર પણ થયા આશ્ચર્યચકિત

Published

on

માણસને જીવવા માટે સૌથી મહત્વની બાબતો ખાવા માટે ખોરાક અને પીવા માટે પાણી છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે પૈસા હોવા છતાં વ્યક્તિ ભૂખે મરી જાય છે? આવો જ એક ચોંકાવનારો કિસ્સો ગુજરાતના વલસાડમાંથી સામે આવ્યો છે. અહીં એક ભિખારીની પાસે એક લાખ રૂપિયાથી વધુ હોવા છતાં ભૂખને કારણે મૃત્યુ પામ્યો.

શું છે સમગ્ર મામલો?
ખરેખર, વલસાડની ગાંધી લાયબ્રેરી પાસે એક ભિખારી બેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ 108 નંબર પર ફોન કરીને આ માહિતી આપી હતી. આ પછી ભિખારીને વલસાડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે ભિખારીએ લગભગ 2 દિવસથી ભોજન લીધું ન હતું.

Advertisement

આશ્ચર્યની વાત એ છે કે ભિખારી પાસેથી 1 લાખ 14 હજાર 480 રૂપિયા મળ્યા. આવી સ્થિતિમાં બધાને આશ્ચર્ય થાય છે કે ભિખારી પાસે આટલા પૈસા હોવા છતાં તે ભૂખ્યો કેમ રહ્યો? તેણે કેમ ન ખાધું? ભિખારીના મોતની સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

પોલીસે તપાસ શરૂ કરી હતી
આ ભિખારીની ઉંમર 70 થી 77 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. તેની પાસેથી મળી આવેલા રૂપિયામાં 100, 200 અને 500 રૂપિયાની નોટ સામેલ છે. વલસાડ સીટી પોલીસે મૃતક ભિક્ષુકની લાશનો કબજો મેળવી ભિખારીના કોઈ સગા-સંબંધી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

Advertisement

Trending

Exit mobile version