Connect with us

Gujarat

આંબાખૂટમાં પરણીતાને ભગાડી જનાર યુવાનનુ ઘર બળ્યું સામેપક્ષના લોકોએ આગ લગાડી હોવાની ચર્ચા

Published

on

ઘોઘંબા તાલુકાના આંબાખૂંટ મોટાફળિયા માં રહેતા મનસુખ રૂમાલ રાઠવાના ઘરમાં રાત્રિના સમયે આગ લાગતા ઘરબળીને રાખ થઈ ગયું હતું. તેમાં પ્રિન્ટિંગ મશીનો, પાણીની મોટરો, ઘરવખરી સાથે સંપૂર્ણ ઘરબળીને રાખ થઈ જતા અંદાજે 10 લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.

બનાવની વિગત એવી છે કે મનસુખ રાઠવાનો પુત્ર ગોપાલ બે મહિના અગાઉ પરણીત મહિલાને ભગાડી ગયો હતો ત્યારબાદ પરણીતાના પરિવારજનો અવારનવાર મારી નાખવા તેમજ ઘર બાળવાની ધમકી આપતા હતા તેથી મનસુખ રાઠવાએ પરિવાર સાથે સંબંધીઓને ત્યાં આશરો લીધો હતો અને તેમનું ઘર બંધ હાલતમાં હતું તે દરમિયાન 9 મેના રોજ રાત્રીના સમયે અચાનક ઘર સળગ્યું હતું. આજુબાજુના લોકોએ આગની જ્વાળા જોઈ તાત્કાલિક હાથ વગા સાધન વડે આગ હોલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે નિષ્ફળ જતાં ઘર બળીને રાખ થઈ ગયું હતું. ઘરમાં છાપકામના મશીનો, પાણીની મોટરો, ઘરવખરી તથા અનાજ ભરેલું હોય તમામ બળીને રાખ થઈ જતા અંદાજે 10 લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.

Advertisement

આગ લાગવા પાછળનું કારણ પરણીતાના પરિવારજનો હોય તેવી આશંકાઓ વ્યક્ત થઇ રહી છે આ બાબતની જાણ રાજગઢ પોલીસને કરવામાં આવી છે રાજગઢ પોલીસ આ બાબતે તટસ્થ અને ઝીણવટભરી તપાસ કરે તો આગ લાગી કે પછી જાણી જોઈને લગાડવામાં આવી તે સંપૂર્ણ માહિતી બહાર આવી શકે તેમ છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!