Gujarat

પડાલ ગામના આધેડ ને 60 વર્ષે આત્મહત્યા કેમ કરવી પડી રહસ્ય ઘુંટાયુ

Published

on

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના પડાલ ગામમાં રહેતા મુર્તુજા શેખે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. જેથી સેવાલિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના પડાલ ગામના સિમ વિસ્તારમાં આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે.

જેમાં મળતી માહિતી મુજબ પડાલ ગામમાં રહેતા મુર્તુજા હુસેનભાઈ શેખ (ઉં.વ.૬૦) જે પડાલ ગામની સિમ વિસ્તારમાં ઝાડ પર લટકી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવ્યા હતા આપઘાતના પગલે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા 60 વર્ષે ગળેફાંસો ખાઈ જીવન કેમ ટુંકાવ્વુ પડયુ તે રહસ્ય અકબંધ રહ્યું છે આ બનાવની પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને લાશનો કબજો લઈને લાશને સેવાલિયા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. જે બાદ સેવાલિયા પોલીસ દ્વારા પરિવારના લોકોના નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

(રિપોર્ટર: રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)

Advertisement

Trending

Exit mobile version