Vadodara

વડોદરાની એન્ટી પ્લાસ્ટિક ગર્લ રાજેશ્વરી સિંહ

Published

on

વડોદરાની એન્ટી પ્લાસ્ટિક ગર્લ રાજેશ્વરી સિંહ આપણી આવનાર ભાવિ પેઢીને માટે પ્લાસ્ટિકમુક્ત વાતાવરણ બનાવવા તેમજ પ્લાસ્ટિક પ્રદુષણથી પ્રકૃતિને બચાવવા તેનું પ્લાસ્ટિક વિરોધી મિશન થકી સતત કાર્યરત રહે છે. પર્યાવરણને પ્રદૂષિત કરતા અને ખતરારૂપ એવા પ્લાસ્ટિકના ઉપયોગ સામે જાગૃતિ લાવવા માટે તે વર્ષોથી નિમિત્ત બનતી આવી છે અને પ્લાસ્ટિકની જગ્યાએ વિકલ્પ આપવાનો પ્રયાસ કરે છે. તેણીએ zeroite.com નામનું ઈકોમર્સ માર્કેટ પ્લેસ પણ લોન્ચ કર્યું જે એક પ્રકારની અનોખી પહેલ છે. અહીં ખરીદદારો કોઈપણ જગ્યાએથી ટકાઉ અને પ્લાસ્ટિક મુક્ત ઉત્પાદનોનો ઓર્ડર આપી શકે છે અને પર્યાવરણ માટે જોખમી સાબિત થતી કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વિના પર્યાવરણને અનુકૂળ બેગ અને પેકિંગમાં પહોંચાડી શકે છે.

વડોદરામાં ઇકો ફ્રેન્ડલી અને ટકાઉ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે એન્ટી પ્લાસ્ટિક ગર્લ રાજેશ્વરી સિંહે સૌપ્રથમ ઓર્ગેનિક અને ઝીરો પ્લાસ્ટિક ઈ-કોમર્સ વેબસાઈટ લોન્ચ કરી. વડોદરાની મ. સ. યુનિ. ખાતે વાય ૨૦ સમિટ માટે જી ૨૦ માં આવનાર દરેક પ્રતિનિધિઓ માટે ડિઝાઇન કરાયેલ ઇકો ફ્રેન્ડલી કીટ આપવાનો આઈડિયા પણ રાજેશ્વરી સિંહનો હતો.

Advertisement

રાજેશ્વરી સિંહને બાળપણમાં શાળા સમયથી જ કુદરત પ્રત્યે અનહદ લગાવ હતો. જે તે પ્લાસ્ટિક પરના પ્રતિબંધને મહત્વ આપીને કુદરતને બચાવવા માટે અનેક રીતે પ્રયત્ન શીલ રહી છે. પ્લાસ્ટીક મુક્ત સમાજ માટે તેણે અનોખા ઝુંબેશની શરૂઆત કરી. તેને બાળપણમાં મળેલ શિક્ષણ અને મૂલ્યો ભવિષ્યની પેઢીઓ માટે ટકાઉ વાતાવરણ ઊભું કરવા માટે આધાર બન્યા. તેણે એ બાબતને અનુસરવા માટે અન્ય લોકો સમક્ષ પોતાનું ઉદાહરણ સ્થાપિત કર્યું અને પ્લાસ્ટિક મુક્ત વિશ્વના મજબૂત ધ્યેય સાથે તેને નવીન વિચારો સાથે ચાલુ રાખ્યું.

વડોદરાથી દિલ્હી સુધીની ૧૩૦૦ કિલોમીટરની પદયાત્રાએ આ મહત્વપૂર્ણ મુદ્દાને ઉકેલવા માટે તેણીનો નિર્ધાર દર્શાવ્યો હતો. વોક વખતે શરૂઆતમાં અંદરની પીડા અને નકારાત્મકતાને બહાર ફેંકી દેવાનો વિચાર હતો પરંતુ તેણી એક કારણ સાથે જોડાઈ જે પાછળથી તેણીનો જીવનનો જુસ્સો બની ગયો. રાજેશ્વરીએ દિલ્હી સુધીની ૧૩૦૦ કિલોમીટરની પદયાત્રા સાથે તેના અભિયાનની શરૂઆત કરી હતી જે તેણે ૪૫ દિવસમાં પૂર્ણ કરી હતી. મોટા ભાગના મુખ્ય શહેરોને તેણે આવરી લીધા હતા અને પદયાત્રા થકી લોકોમાં પ્લાસ્ટિક નહીં વાપરવા અંગેની જાગૃતિ ફેલાવી હતી.

Advertisement

મારો જન્મ વડોદરામાં થયો હતો અને મારી શરૂઆતની શાળા માઉન્ટ આબુથી પૂર્ણ કરી હતી. ત્યાં મારા કાર્યકાળ દરમિયાન અમને પ્રકૃતિની અનુભૂતિ અને પૂજા કરવાનું શીખવવામાં આવ્યું હતું અને ત્યારથી મારી અને પર્યાવરણ વચ્ચે જોડાણ છે. મારી દિલ્હીની પ્રથમ પદયાત્રા મારા મિશનનો એક ભાગ હતી. પ્લાસ્ટિકને હરાવવું અને અન્ય લોકોને જોડાવા માટે જાગૃત કરવા એ મારો મુખ્ય મુદ્દો હતો અને છે. પરંતુ શરૂઆતમાં હું મારા જીવનમાં જે પીડા અને નકારાત્મકતામાંથી પસાર થઈ છું તેને ફેંકી દેવાનો હતો અને પછીથી તેને એક કારણ સાથે જોડવાનું વિચાર્યું ત્યારથી તે તેના જીવનનો એક હિસ્સો બની ગયો. પ્લાસ્ટિક મુક્ત સમાજ બનાવવા માટે અમે અનોખા ખ્યાલો સાથે સક્રિયપણે કામ કરી રહ્યા છીએ એમ રાજેશ્વરી સિંહે કહ્યું હતું.

૫ મી જૂન ૨૦૧૮ ના રોજ યુનાઈટેડ નેશન્સ વિશ્વ પર્યાવરણ દિવસ સાથે ‘માય વેસ્ટ માય રિસ્પોન્સિબિલિટી’ થીમ સાથે તેની જાગૃતિની ઝુંબેશ ચાલી. આ કાર્યક્રમને ગુજરાત ટુરીઝમ અને યુ.એન. એન્વાયર્નમેન્ટ દ્વારા હકારાત્મક ટેકો મળ્યો હતો. ૧ લી જૂન ૨૦૧૯ ના રોજ એન્ટિગુઆ અને બાર્બુડામાં આયોજિત ‘પ્લે ઈટ આઉટ’, પ્લાસ્ટિક પ્રદૂષણ સામેના ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે તેને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલ પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે જુસ્સાદાર અને પુરાવા આધારિત અરજીઓ કરવા માટે નેતાઓ અને સેલિબ્રિટીઓની મજબૂત લાઇન બનાવવાનો પ્રયાસ કરે છે.

Advertisement

રાજેશ્વરી છેલ્લા ૧૦ વર્ષથી કોઈપણ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ કરવાનું ટાળે છે. આપણો સમાજ પ્લાસ્ટિકના પ્રદુષણથી મુક્ત બને એ માટે તે સતત પ્રયત્નશીલ રહે છે. લોકોમાં તે અંગેની જાગૃતિ ફેલાવવા માંગે છે. તેણીએ સૌપ્રથમ ‘આઈ ઈન્ડિયા’ની શરૂઆત કરી અને પછી કલા, સંસ્કૃતિ, ભારતની ધરોહર, પર્યાવરણીય મુદ્દાઓ, ગ્રીન સ્પેસ, પર્યાવરણીય જેવા મહત્વના મુદ્દાઓ પર સંદેશ આપતી રમતો અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે ‘કારવાં ક્લાસીસ ‘ શરૂ કર્યા. તેણીએ સી.પી.સી.બી., દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ અને અન્ય સંગઠનો સાથે મળીને દમણના દેવકા દરિયા કિનારાને સાફ કરવાનું મુશ્કેલ કાર્ય પણ ઉપાડ્યું હતું.

Zeroite (zeroite.com) એક એવું પ્લેટફોર્મ છે કે, જેનાથી તે વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચાડવાનું કામ કરે છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનો સંદેશ અસરકારક રીતે ફેલાવે છે. આ ઈકો-ફ્રેન્ડલી ઈ-કોમર્સ વેબસાઈટ વડે અમે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, પેરાબીન-ફ્રી, કેમિકલ-ફ્રી પ્રોડક્ટ્સ અને ખાદ્યપદાર્થો વેચીએ છીએ. zeroite.com દ્વારા અમે ખેડૂતોને નાના વ્યવસાયો સાથે જોડવાનો પ્રયાસ કરીએ છીએ એમ રાજેશ્વરી સિંહે વધુમાં જણાવ્યું હતું.

Advertisement

છેલ્લા ૧૦ વર્ષથી પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરનાર પર્યાવરણ પ્રેમી

પ્લાસ્ટિક પ્રદુષણ અંગે સંદેશો આપવા વડોદરાથી દિલ્લી સુધીની ૧૩૦૦ કિમીની પદયાત્રા ૪૫ દિવસમાં પૂર્ણ કરી

Advertisement

વડોદરામાં સૌપ્રથમ ઓર્ગેનિક તેમજ ઝીરો પ્લાસ્ટિક ઈ વેબસાઈટ લોન્ચ કરી દરેક માટે બની ઉદાહરણરૂપ

Advertisement

Trending

Exit mobile version