Mahisagar

ખેડુતોને કમોસમી વારસાદ, માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો શું કરવું

Published

on

જીરાનો પાક કમોસમી વારસાદ / માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ૭૫% વેટેબલ પાવડર ૩૦ગ્રામ તથા ૨૫ મિલિ તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ ૧૦ લીટર પાણીમાં ભેળવીને છોડ પૂરેપૂરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો.વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે.


બટાટા વાવતા ખેડૂતોએ પણ આ સમય દરમ્યાન પિયત આપવાનું ટાળી ભલામણ કરેલ દવા ક્લોરોથેલોનીલ ૭૫% વે.પા. ૨૭ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫% ઇસી ૫ મિલિ ૧૦ લિટર પાણીમાં મિક્ષ કરીને છંટકાવ કરવો. જેથી આગોતરા/પાછોતરા સુકારાના રોગથી બટાટાના પાકને બચાવી શકાય.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાના કોલસેન્ટરટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવો.
અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા
સંતરામપુર

Advertisement

Trending

Exit mobile version