Connect with us

Panchmahal

પાવાગઢમાં તૂટ્યો વિશ્રામ કુટીરનો ઘુમ્મટ કાટમાળ નીચે દબાવાથી એકનું મોત

Published

on

One died after the dome of a broken rest cottage was crushed under the debris in Pavagadh.

યાત્રાધામ પાવાગઢના ખાતે દુર્ઘટના સર્જાઈ છે. અહીં પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં એક મહીલાનું મોત થયું છે. જ્યારે 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

One died after the dome of a broken rest cottage was crushed under the debris in Pavagadh.

આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. તો 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, ઈજાગ્રસ્તોમાં 2 બાળકો અને 3 મહિલાઓ પણ સામેલ છે.

Advertisement

પાવાગઢના ખાતે યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી છે. ત્યારે બપોરના સમયે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા. આ સમયે અચાનક ઘુમ્મટ ધરાશાયી થયો હતો.

One died after the dome of a broken rest cottage was crushed under the debris in Pavagadh.

આ દુર્ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જે બાદ સ્થાનિકો દ્વારા ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને ખાનગી વાહનો તથા 108 મારફતે ઈજાગ્રસ્તો ને વડોદરા વધુ સારવાર માટે મોકલાયા.

Advertisement
error: Content is protected !!