Connect with us

Panchmahal

ઘોઘંબા નગરમાં આદિવાસીની બિન રાજકીય રેલીની પરવાનગી રદ કરતાં કલેકટરને રજૂઆત

Published

on

representation-to-collector-canceling-permission-for-non-political-rally-of-tribals-in-ghoghamba-town

ઘોઘંબા તાલુકામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે જેમાં દર વર્ષે બે પ્રોગ્રામ થાય છે એક રાજકીય અને બીજો બિન રાજકીય ત્યારે આ વખતે બિન રાજકીય રેલીને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવતા આદિવાસી સંગઠનો માં રોષ વ્યાપી ગયો હતો આ સાથે આદિવાસી સંગઠન દ્વારા આ બાબતે જિલ્લા કલેકટરને અરજી કરવામાં આવી હતી બિન રાજકીય રેલીમાં 8000 જેટલા આદિવાસીઓ જોડાવાના હોય બંને કાર્યક્રમના રૂટ સરખા હોય ટ્રાફિકજામ તેમજ કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થાય તેમ હોવાનું કારણ ધરી બિન રાજકીય રેલીની પરમિશન રદ કરતા આદિવાસી સંગઠનો એ રાજકીય આગેવાનો તથા તંત્ર સામે વિવિધ આક્ષેપો કરી જિલ્લા કલેકટરને આદિવાસી રેલીને મંજૂરી આપવા રજૂઆત કરી હતી

error: Content is protected !!